ષષ્ઠીપૂર્તિ નિમિતે મુકેશને ...
આજે ષષ્ઠીપૂર્તિ તારી
જીવનમાં એ વીસ વર્ષની બાદબાકી કરીએ તો….
સહચર્યના એ ચાળીશ વર્ષોની તરવરે છે
અઢળક ખટમીઠી… અપરિપક્વ ઉંમર અને
થોડી ઘણી ગેરસમજો
પણ
પ્રેમ,વિશ્ચાસ અને લાગણીનાં
મજબુત આવરણ નીચે
અદ્રશ્ય થઈ ગઈ
આજે પરિપક્વતાના આગમને
સમજણને ઓઢી લીધી છે
જીવનબાગને મઘમઘતો રાખવા
સમજદારી કેટલી જરૂરી છે?
હવે એકબીજાની હૂંફે
વૃદ્ધાવસ્થાને શણગારવાનું છે…
સત્કર્મોની સુગંઘથી
બાંધછોડની ભાવનાથી
સ્વાસ્થ્યની સાચવણીથી
સ્વને શોધીને મનોમંથનથી
એકબીજાને ગમતું કરીને
એકબીજા માટે જીવીને….
આજે માતાજીનાં બીજા નોરતે
મા અમને શક્તિ આપો કે
જીવનને ઉજ્જવળ બનાવી શકીએ અને સાચી ષષ્ઠીને ઉજવી શકીએ.
ષષ્ઠીપૂર્તિની અઢળક શુભેચ્છાઓ!!!
નીતા શાહ
No comments:
Post a Comment