પાંપણો ની ઉઘાડ-બંધ માં
જયારે તું અશ્રુજળ માં
તરતો તરતો
હૃદય દ્વારે પહોંચીને
પ્રવેશદ્વાર ને નોક કર્યાવિના જ
પ્રવેશી ગયો...અને
અચાનક જ મેં
દ્વાર ને બંધ કરી ને તાળું મારી દીધું...
રખે ને તું પાછો વળી જાય તો...???
ભીતિ સાથે પ્રીતિ કે પ્રીતિ માં ભીતિ?
સમજણ કે અણસમજણ જે કહો તે
તેના સ્મિત ને હું પાપણે સજાવીશ
તેના ગમ ને હું પ્રાર્થનામાં સમાવીશ
તેના શબ્દ ને હું પ્રાસ માં નચાવીશ
સમ આપીને વ્હાલના કોળિયા ભરાવીશ
પછી તો જોજો ને હુકમ કરીશ....
''ખબરદાર''
જો સપનામાં પણ પાછા વળવાનો
વિચાર પણ કર્યો તો....!!!
-નીતા.શાહ.