મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Thursday, February 9, 2012

શું કરું.. દિલની ભીનાશને સુકવી શક્યા નહિ, કારણ...વસવાટ તો તેમની આંખોમાં હતો ...!




શું કરું.. દિલની ભીનાશને સુકવી શક્યા નહિ,
કારણ...વસવાટ તો તેમની આંખોમાં હતો 

શું કહું...ઈચ્છા તો મન ની ફૂલો સાથે જ હતી
પરંતુ...સગપણ તો પત્થરની પાંખોમાં હતું

શું કામ ...વાતો તું આભને અડવાની કરે છે
પહેલા... ચરણને તું ધરતીની કાખોમાં રાખ

શું કામ...વિશ્વાસ રાખું હું  માનવીય શ્રદ્ધા માટે 
છેવટે...  શ્રદ્ધાનું મૂળ કાચીમાટીની શાખોમાં છે 

શું કહું....  નરજાત બોલે તો ખુમારી વાતોમાં છે
પરંતુ... નારીજાત બોલે તો ગુનેગારી આંખોમાં છે 

-નીતા.શાહ.