મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Wednesday, January 18, 2012

''હોવું'' અને ''ન હોવું'' કોને સમજાય? જેની પાસે લાગણીઓ થી ...!



''હોવું'' અને ''ન હોવું''
કોને સમજાય?
જેની પાસે લાગણીઓ થી
તરબતર હૈયું હોય ને
એક કશિસ,એક આરઝુ
''એની'' એક ઝલક માટે
બાકી તો લીલીછમ ધરતી પર
પત્થરો ની પણ ક્યાં
કમી હોય છે...!!!
--નીતા.શાહ.




પિંજારા માં બેઠેલું પંખી
દોમ-દોમ સાહ્યબી
ભાવતા ચણ ને સોને મઢેલું પિંજર
છતાં તરફડાટ કેમ...?
'' આઝાદી''
મુક્તપણે પાંખો ફફડાવીને વિહરતું પંખી
ઉપર ગગન વિશાલ...
ને મંદ મંદ વહેતો સમીર નો સ્પર્શ...
જુવો તેના વૃંદ માં કેટલું મહાલે છે..કતારબંધ
તેનો કલશોર નું મધુર સા..રે ..ગ..મ..
પ્રકૃતિ ને જીવંત બનાવે છે...
જાદુ છે...
મુક્તપણે શ્વાસ લેવાનો..
''આઝાદીની આબોહવા માં''

--નીતા.શાહ.