આજે '' વિશ્વ- નૃત્ય દિન''
ચિત્રકારનો આત્મા તેની આંગળીમાં,
ગાનાર નો આત્મા તેના કંઠમાં અને
નૃત્યકારનો આત્મા તેના આખા એ શરીર માં રહેતો હોય છે...
[ખલીલ જિબ્રાન]
સાંસ્કૃતિક વૈવિધ્યને અસરકારક રીતે અને હાવભાવ સાથે વર્ણવવા માટે નૃત્યથી સારું કોઈ માધ્યમ જણાતું નથી. આપણે ત્યાં નૃત્યના બે દેવતા ગણાય છે. ભગવાન શંકર જે ''નટરાજ'' કહેવાયા અને ભગવાન શ્રીકૃષ્ણ '' નટવર'' કહેવાયા. ભગવાન શંકરે પોતાના ગણ ને નૃત્ય શીખવ્યું જયારે ભગવાન શ્રીકૃષ્ણ એ ગોપીઓ સાથે નૃત્ય કર્યું. નૃત્ય માં ભક્તિભાવ ભળ્યો.
ભારતમાં નૃત્યકલા ની પુનઃ પ્રતિષ્ઠા નો યશ રવીન્દ્રનાથ ટાગોરે,ઉદય શંકરજી, વાલ્લાથોલ, મીનાક્ષી સુન્દરમ,પિલ્લાઇ,થીયોસીફીસ્ટ રુકમણી દેવી અરુન્દેલજી અને કેલુચરણ મહામાત્ર ને આપવો પડે.
ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યની તાલીમના વિધિવત વર્ગોની શરૂઆત સૌ પ્રથમ કોણે કરી..??
ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યના વ્યવસ્થિત તાલીમના વિધિવત વર્ગો ની શરૂઆત શ્રી ધરમશીભાઈ મુળજીભાઈ શાહે સન ૧૯૪૫ માં ભાવનગર માં એક જ વિદ્યાર્થીની થી જ કરી હતી.....!
અમદાવાદ માં 'દર્પણ' ની સ્થાપના ૧૯૪૯,
'નૃત્યભારતી' ની સ્થાપના ૧૯૬૦
'કદંબ' ની સ્થાપના ૧૯૬૩....
નૃત્ય માટે તપ કરનાર આ સર્વ તપસ્વીઓને થનગનાટ પૂર્વકના વંદન...!!!
નીતા.શાહ.