મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Tuesday, November 4, 2014

ખોટી જગ્યાએ દુખ હળવું ન કરાય ..!






ખોટી જગ્યાએ  દુખ હળવું ન કરાય 
એમ હાથે કરી દુખ બમણું ન કરાય 

વ્યક્ત થઇ શકે એને વ્યક્તિ કહેવાય 
વ્યક્ત ન થઇ શકે એને શું કહેવાય ?

કોમનમેન હમેશા કોમન વાતો કરે 
પોતાને જ કહે છે કેમ માની લેવાય ?

ભૂમિ એક જળબિંદુ માટે વલખા મારે 
સમજણ નું વાદળ જ પહેરો ભરે તો ?

લાગણી તો હૂંફની હળવાશ કહેવાય 
લાગણી ને જ લોકો હડસેલી દે તો ?

તારું અને મારું તો સહિયારું કહેવાય 
મારું મારું આગવું કરે એને શું કહેવાય ?

નીતા શાહ