મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, September 16, 2016

જ્યાં સુધાર શક્ય ન હોય ત્યાં સ્વીકાર જ કરી શકાય..!


'' જ્યાં સુધાર શક્ય ન હોય ત્યાં સ્વીકાર જ કરી શકાય''


એન્ટીસિપેટેડ અથવા ધારી લીધેલી સમસ્યા આપણ ને મૂળ સમસ્યા કરતા વધુ પજવે છે. એટલે કે જ્યાં પ્રતિકુળતા છે ત્યાંથી ભાગવું અને બીજે ક્યાય જઈને અનુકુળતા શોધવાનો પ્રયાસ કરવો. ફરી પાછી ત્યાં પ્રતિકુળતા મળે એટલે ત્યાંથી પણ છટકવું અને ફરીથી નવેસરથી અનુકુળતાની શોધ કરવી.દરેક સમસ્યાને સમસ્યા તરીકે જોવાને બદલે સમસ્યાને જિંદગીના ભાગ તરીકે જોઈએ તો આપોઆપ એના રસ્તા ખુલતા જાય છે.ખિસ્સા કાતરુના ભયથી મેળાની મજા પડતી મુકે તો કેટકેટલું ગુમાવવું પડે !!
કોઈ એક  માણસનો  આપણે સ્વીકાર કરીએ એટલે એની સારી-નરસી તમામ બાબતોનો સ્વીકાર કરીએ છીએ. પણ સતત સ્વીકારથી સામેવાળા ને આપણે નરસી બાબતોને સુધારવા નો મોકો જ નથી આપતા એવું પણ બને.  જ્યાં સુધાર શક્ય ન હોય ત્યાં સ્વીકાર જ કરી શકાય, પણ હા, તે જીભથી નહિ પણ જીવ થી થવો જોઈએ.કોઈ પણ વૃક્ષ માણસની નાતજાત જોઇને છાંયડો આપે છે ? અરે, એને પથ્થર મારે તો એને પણ વૃક્ષ ફળ આપે છે !

નીતા શાહ

 લેખક શ્રી ગુણવંત શાહ ના '' અસ્તિત્વનો ઉત્સવ'' પુસ્તક માં થી એક પ્રસંગ


ઉસત્સ્ય ઋષિ પોતાના આશ્રમ માં પ્રાત:કાળે યજ્ઞ કરી રહ્યા હતા. વેદમંત્રો બોલતા હતા. એવામાં એક ભયભીત હરણ વ્યાઘ  થી બચવા ઋષિની પર્ણકુટીર માં સંતાઈ ગયું. થોડી વારે હરણ ને ખોળતો વાઘ   ત્યાં આવી ચડ્યો. ઋષીને વાઘે હરણ અંગે પૂછ્યું. ઋષીએ જવાબ આપ્યો :'' હે વ્યાઘ, હું તને શું કહું ? જે આંખોએ જોયું છે એને વાચા નથી અને જે જીહવા બોલી શકે છે એને દ્રષ્ટિ નથી '' ઋષિનો આ જવાબ સાંભળી વ્યાઘ ત્યાંથી ચાલ્યો ગયો. હરણ બચી ગયું.
 આને કહેવાય વ્યવહારમાં શાસ્ત્રના નિયમોનો સમજપૂર્વકનો વિનિયોગ...! સત્ય અને અસત્યની એક નવી વ્યવહારુ સમજુતી કૃષ્ણ ના જીવનદર્શનમાં જોવા મળે છે. સત્ય સાપેક્ષ છે.
એક પ્રસંગે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે :
      '' હંમેશા યથાર્થ વચન જ સત્ય
       અને અયથાર્થ વચન અસત્ય હોય
       તેમ નથી બનતું ;
       જેનાથી પ્રાણીઓનું અત્યંત હિત સધાય
       તે વચન જ સત્ય કહેવાય '' 




     નીતા શાહ