અબ્રાહમ લિંકન ના પિતાની આ વાત છે.
એમના પિતાએ તેમનું ખેતર કોઈક અજાણ્યા માણસ ને વેચી દીધું હતું.
ખેતર વેચ્યા પછી પણ અબ્રાહમ લિંકન ના પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા.
અબ્રાહમ લીન્કને તેમના પિતાને પૂછ્યું,'' તમે શું કામ ખેતરમાં કામ કરો છો?
જયારે ખેતરના માલિક બદલાઈ ગયા છે.''
અબ્રાહમ લિંકન ના પિતાએ વળતો જવાબ આપ્યો,
'' આ ફૂલ-છોડને થોડી ખબર છે કે એનો માલિક બદલાઈ ગયો છે...?''
સ્નેહ શું માંગે છે? સાબિતી કે પછી પ્રતીતિ..?
નથી લાગતું સાબિતીઓ પણ સ્વાર્થમાં ખરડાયેલી હોય છે...?
સામે ની વ્યક્તિને ખબર પડ્યા વિના તેને ચાહવું....
શું કહેશો એને..? બેવકૂફી....કે પછી ઈબાદત...?
નીતા.શાહ.