મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Monday, April 23, 2012

'આપણે કોઈને શું કામ બદલવા જોઈએ.?'




'આપણે કોઈને શું કામ બદલવા જોઈએ.?' અથવા
 તો કોઈકે આપણા થી શું કામ બદલાવુ જોઈએ...???''

આટલી ઝીણી વાત જીવન માં કાંતિ લઈએ તો,
સબંધ ના ગમા-અણગમા ...વરાળ બની જશે..!
રસ્તા ને આવન-જાવન ના નિયમો છે
સબંધો ને લાલન-પાલન ના નિયમો છે....!!!

નીતા.શાહ.

સ્નેહ શું માંગે છે? સાબિતી કે પછી પ્રતીતિ..?...અબ્રાહિમ લિંકન

અબ્રાહમ લિંકન ના પિતાની આ વાત છે.


એમના પિતાએ તેમનું ખેતર કોઈક અજાણ્યા માણસ ને વેચી દીધું હતું.
ખેતર વેચ્યા પછી પણ અબ્રાહમ લિંકન ના પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા.
અબ્રાહમ લીન્કને તેમના પિતાને પૂછ્યું,'' તમે શું કામ ખેતરમાં કામ કરો છો?
જયારે ખેતરના માલિક બદલાઈ ગયા છે.''
અબ્રાહમ લિંકન ના પિતાએ વળતો જવાબ આપ્યો,
'' આ ફૂલ-છોડને થોડી ખબર છે કે એનો માલિક બદલાઈ ગયો છે...?''

સ્નેહ શું માંગે છે? સાબિતી  કે પછી પ્રતીતિ..?
નથી લાગતું સાબિતીઓ પણ સ્વાર્થમાં ખરડાયેલી હોય છે...?
સામે ની વ્યક્તિને ખબર પડ્યા વિના તેને ચાહવું....
શું કહેશો એને..? બેવકૂફી....કે  પછી ઈબાદત...?

નીતા.શાહ.