મહાન લખાણ અને રોચક લખાણ માં ફેર છે.રોચક લખાણ શબ્દો જોડે રમતા આવડે એવી કુદરતી બક્ષિસ નું પરિણામ હોઈ શકે છે.જયારે મહાન લખાણ ઉદ્ભવે છે એકાગ્રતા માંથી.વિન્સ્ટન ચર્ચિલ જ્યાં સુધી વિચારને અનુરૂપ યોગ્ય શબ્દો ના મળે ત્યાં સુધી પોતાના લખાણ ને મઠારવાની મહેનત કર્યા જ કરતા. પિકાસો ધડીભરમાં શ્રેષ્ઠ કલાકૃતિ તૈયાર કરી શકતા. પરંતુ એ સરળ દેખાતી રેખાઓ પાછળ કલાકો,દિવસો અને મહિનાઓનો મહાવરો હતો.
ગદ્ય એટલે શબ્દોની શ્રેષ્ઠ ગોઠવણી
પદ્ય એટલે શ્રેષ્ઠ શબ્દોની શ્રેષ્ઠ ગોઠવણી ....!
નીતા શાહ