એક સમયે
હૃદયની ધરા પર
ધબકારની હુંફ થી
પ્રેમ-બીજ વાવ્યું હતું
વ્હાલથી જતન કર્યું 'તું
અંકુરિત એ બીજ
લાગણીસભર લીલુછમ છોડવું મારું
હિલ્લોળા લેતું 'તું
અને....
અચાનક
લીલાછમ પાંદડાએ પીળાશ પકડી
ને ડાળથી વિખુટા પડવા લાગ્યા
એક પછી એક,એક પછી એક
ને ડાળે તો જાણે જીવન સંકેલી ને
જાણે વૈધવ્ય સ્વીકારી લીધું
પ્રભાતે ઝાકળ આવીને
મીઠો સ્પર્શ આપી ને
પલ્લવિત કરવું તું
પણ રવિ ના આગમને જ
ઝાકળ પણ ગાયબ
શું કારણ હશે ?
કદાચ ઉધઈની જ લીલા હશે
શું એની દવાનો છંટકાવ
નવ-પલ્લવિત કરી શકશે છોડવાને ?
ના....ક્યારેય નહિ
પોતીકા વિના જીવવું એટલે
મરવાના વાંકે જીવવું ....!
- નીતા શાહ