મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Monday, November 30, 2015


 એક સમયે 
 હૃદયની ધરા પર 
 ધબકારની હુંફ થી 
 પ્રેમ-બીજ વાવ્યું હતું 
 વ્હાલથી જતન કર્યું 'તું 
 અંકુરિત એ બીજ 
 લાગણીસભર લીલુછમ છોડવું મારું 
 હિલ્લોળા લેતું 'તું 
 અને....
 અચાનક 
 લીલાછમ પાંદડાએ પીળાશ પકડી 
 ને ડાળથી વિખુટા પડવા લાગ્યા 
 એક પછી એક,એક પછી એક 
 ને ડાળે તો જાણે જીવન સંકેલી ને 
 જાણે વૈધવ્ય સ્વીકારી લીધું 
 પ્રભાતે ઝાકળ આવીને 
 મીઠો સ્પર્શ આપી ને 
  પલ્લવિત કરવું તું 
 પણ રવિ ના આગમને જ 
 ઝાકળ પણ ગાયબ 
  શું કારણ હશે ?
  કદાચ ઉધઈની જ લીલા હશે 
  શું એની દવાનો છંટકાવ 
  નવ-પલ્લવિત કરી શકશે છોડવાને ?
   ના....ક્યારેય નહિ 
   પોતીકા વિના જીવવું  એટલે 
   મરવાના વાંકે જીવવું  ....!


  •    નીતા શાહ