'' જ્યાં સુધાર શક્ય ન હોય ત્યાં સ્વીકાર જ કરી શકાય''
એન્ટીસિપેટેડ અથવા ધારી લીધેલી સમસ્યા આપણ ને મૂળ સમસ્યા કરતા વધુ પજવે છે. એટલે કે જ્યાં પ્રતિકુળતા છે ત્યાંથી ભાગવું અને બીજે ક્યાય જઈને અનુકુળતા શોધવાનો પ્રયાસ કરવો. ફરી પાછી ત્યાં પ્રતિકુળતા મળે એટલે ત્યાંથી પણ છટકવું અને ફરીથી નવેસરથી અનુકુળતાની શોધ કરવી.દરેક સમસ્યાને સમસ્યા તરીકે જોવાને બદલે સમસ્યાને જિંદગીના ભાગ તરીકે જોઈએ તો આપોઆપ એના રસ્તા ખુલતા જાય છે.ખિસ્સા કાતરુના ભયથી મેળાની મજા પડતી મુકે તો કેટકેટલું ગુમાવવું પડે !!
કોઈ એક માણસનો આપણે સ્વીકાર કરીએ એટલે એની સારી-નરસી તમામ બાબતોનો સ્વીકાર કરીએ છીએ. પણ સતત સ્વીકારથી સામેવાળા ને આપણે નરસી બાબતોને સુધારવા નો મોકો જ નથી આપતા એવું પણ બને. જ્યાં સુધાર શક્ય ન હોય ત્યાં સ્વીકાર જ કરી શકાય, પણ હા, તે જીભથી નહિ પણ જીવ થી થવો જોઈએ.કોઈ પણ વૃક્ષ માણસની નાતજાત જોઇને છાંયડો આપે છે ? અરે, એને પથ્થર મારે તો એને પણ વૃક્ષ ફળ આપે છે !
નીતા શાહ