એક નાનકડો તુલસીક્યારો
તુલના થઇ શકે ક્યારેય
એક
વિશાળ તમાકુ ના ખેતર
સાથે?
એક છે સંવેદનશીલ અને
એક છે સંવેદનશુન્ય.....!!!
તુલસીક્યારે પ્રકાશિત દીવડો
શ્રદ્ધાને પણ પ્રકાશિત કરે
પવિત્રતા નું એક ઝરણું
શ્યામ તુલસી ને રામ તુલસી
તુલસીપત્ર વિના ના
છપ્પન ભોગ પણ નિરર્થક
યાદ છે ને તુલસી-વિવાહ..
ખુદ શ્રીજી વર્યા છે તુલસીમાને ...
હિન્દુઓના ઘરે ઘરે દ્રશ્યમાન
એક પવિત્ર દ્રશ્ય
પ્રગટાવતી દીવો તુલસીક્યારે
''પૂજ્ય.બા.''......!!!
-નીતા.શાહ.