વિચારે વિચારે વિચાર વણાઈ ગયો..
વધારો શેમાં જોવા મળે..?
માણસાઈ વગર ના માણસોમાં ..કે પછી
વફાદારી નિભાવતા વફાદાર પ્રાણીઓ માં..?
મનુષ્ય એટલે.....?
પ્રેમ નો સાગર
કરુણા ની સરિતા
પરોપકારનું ઝરણું
સમર્પણ નું આકાશ
સંવેદના નો સુરજ
ક્ષમા-યાચનાનો ચંદ્ર
લાગણીઓ નો સમીર
જ્ઞાન નો ભંડાર
આટઆટલા ગુણો ના સમન્વય વાળો મનુષ્ય...
શોધવો હોય તો કાળી અમાસની રાતે સોય શોધવી....
એના જેટલું જ મુશ્કેલ..
ટાટીયો ખેંચવાની હરીફાઈ માં ..હાથ પકડનારા કેટલા...?
આજના પશુઓ એટલે
વફાદારી નો પર્યાય..
માલિક પ્રત્યે સમર્પણ નું સગપણ
મુક સંવેદના
બિન ફરિયાદી
પરોપકારી....!
એક જ પશુ માં આટલા બધા ગુણો શોધવા જરા ય અઘરા નથી...
એટલે તો કુતરા પણ એ.સી. કાર માં મૌજ કરે છે...
ડો.જોહ્ન્સ ના શબ્દો માં,
હું માનવ-જાત પ્રત્યે ધ્રુણા ધરાવું છું. કારણ કે હું મારી જાત ને સર્વોત્તમ મનુષ્ય માનું છું.
પણ મને ખબર છે કે હું કેટલો ખરાબ છું....
નીતા.શાહ.