એક દિવસ પ્લેન માં સફર કરતા વિચાર આવ્યો કે શું માનવ ઉંચાઈએ પહોચી ને વિચારે તો શું
તેના વિચારો ઉચ્ચ થઇ જતા હશે ? મનોમંથન પછી તે નિર્ણય પર આવી કે ....ઉચાઇ કરતા પણ
ઊંડાણ શ્રેષ્ઠ છે, કારણ ઉંચાઈ પર પહોચવું ખુબ જ સરળ છે...જયારે ઊંડાણ માં ત્યારે જ જઈ શકો,
કોઈક ને સ્મિત આપની ને તેના આંસુ તમે લઇ શકો, બીજા ને નિરપેક્ષ પ્રેમ કરી શકો...ને તે જ તમારો
નિજાનંદ હોય.નામ સાથે ના સબંધો નિભાવવા,અને તે સબંધો થી પણ પર એક બેનામ સબંધ....નિભાવવો
તેની ગરિમા સાચવવી એટલે સત નું આત્મા સાથે નું જોડાણ....અને તેની પ્રસન્નતા કેટલી ઉમદા હશે?
નીતા શાહ.

No comments:
Post a Comment