કોણમાપક સબંધો નું માપીએ
હૃદય છેદાશે કેટલે અંશે?
શૂન્યાવકાશ નું વર્તુળ માપીએ
ખાલીપાની સોય કેટલે અંશે?
મોતના બિંદુની રેખાને માપીએ
આરઝુ ના કાટખૂણા કેટલે અંશે?
આજ પ્રણયના સૂરને માપીએ
છૂટોતાર વીણાનો વાગશે કેટલે અંશે?
ગુમાવેલા જીવન સ્મિત ને માપીએ
જમાના એ લુંટેલ અશ્રુ કેટલે અંશે?
-નીતા.શાહ.

No comments:
Post a Comment