મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, December 30, 2011

કોણમાપક સબંધો નું માપીએ હૃદય છેદાશે કેટલે અંશે? શૂન્યાવકાશ નું વર્તુળ માપીએ



કોણમાપક સબંધો નું માપીએ

હૃદય છેદાશે કેટલે અંશે?

શૂન્યાવકાશ નું વર્તુળ માપીએ

ખાલીપાની સોય કેટલે અંશે?

મોતના બિંદુની રેખાને માપીએ

આરઝુ ના કાટખૂણા કેટલે અંશે?

આજ પ્રણયના સૂરને માપીએ

છૂટોતાર વીણાનો વાગશે કેટલે અંશે?

ગુમાવેલા જીવન સ્મિત ને માપીએ

જમાના એ લુંટેલ અશ્રુ કેટલે અંશે?
-નીતા.શાહ.

No comments: