આજે
મારે પ્રમાણિક બનવું છે.
મારી ઉર્મિઓનાં ધોધને વહેવા દેવો છે,
મારી સંવેદનાની સાર્થકતાને શોધવી છે,
મારી અનુભૂતિઓને આકારવી છે,
મારી ઝંખનાઓને ઝંકારવી છે !!
પણ...???
એ શક્ય નથી,
કારણ કે
હું સ્ત્રી છું.
મને શીખવવામાં આવ્યું છે,
લાગણીઓનું દમન
સહનશીલતાની મૂર્તિ બની રહીને સંવેદનાનું શમન
મારે ''નારી તું નારાયણી'' અને ''નારી નરકની ખાણ'' ના વિરોધાભાસો
વચ્ચે અટવાવું નથી.
મારે ત્યાગની દેવી નથી બનવું,
મારે જીવંત ''સ્ત્રી'' રહેવું છે.
મારા અસ્તિત્વ ને અર્થ આપવો છે....!!!

No comments:
Post a Comment