'સુખદ મૃત્યુની અભિવ્યક્તિ' [માઇક્રોફિક્શન વાર્તા]
'જીવન સંધ્યા' નામના
વૃદ્ધાશ્રમમાં ઘણા વર્ષોથી ૮૫ વર્ષના જીવીબેન રહેતા હતા. જીવીબા સ્વભાવે ખુબ જ
હસમુખા,પરોપકારી,ધર્મિષ્ઠ અને પુસ્તકપ્રેમી હતા. રોજ ધાર્મિક પુસ્તકો વાંચીને સૌને
સંભળાવે અને પોતાનાથી થાય તેટલા બધાના કામ કરે. કોઈક સાજુ-માંદુ હોય તો સૌથી પહેલા
જીવીબા હાજર !
આવા જીવીબા ની એક જીદ હતી...ઇચ્છામૃત્યુની
! જોકે તેમના હસતા ચહેરે કાયમ સંતોષની રેખાઓ ઉભરી આવતી અને જીવન પ્રત્યે ક્યારેય
કોઈ ફરિયાદ પણ નહોતી. બસ એક જ ઈચ્છા હતી મરજી મુજબના મૃત્યુની ! ત્યાંના ટ્રસ્ટી
મહેશભાઈ તેમને ખુબ સમજાવે પણ સ્ત્રી હઠ અને એમાય એક વૃદ્ધ સ્ત્રીની હઠ...! મહેશભાઈ
એ સમજાવ્યું કે કાયદાની દ્રષ્ટિ એ પણ શક્ય નથી અને એમાં વકીલ પાસે એફીડેવીડ કરાવવી
પડે.પણ જીવીબા માન્યા નહિ ને વકીલને બોલાવો મારે મળવું છે એવી રટ લઈને બેઠા.
મહેશભાઈ એ વકીલને ફોન કર્યો. બીજે દિવસે સવારે વકીલ મળવા આવવાના હતા. ત્યાંજ
પુત્રવધુનો ફોન આવ્યો કે તેમના દીકરાને ડાયાલીસીસ પર રાખ્યો હતો અને કોમા માં હતો,
આજે થોડું ભાન આવ્યું છે ને તેમની છેલ્લી ઈચ્છા તમને મળવાની છે, તો હું તમને લેવા
આવું છું બા !
નીતા શાહ

No comments:
Post a Comment