મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Saturday, May 9, 2015

વણજન્મેલ બાળક અને ઈશ્વરનો સંવાદ



વણજન્મેલ બાળક અને ઈશ્વરનો સંવાદ




એક ગર્ભસ્થ શિશુ આ ધરતી પર જન્મ લેવા તૈયાર થઇ ગયું હતું. તેના કોમળ મુખ પર ચિંતા અને પરેશાનીના ભાવ હતા. સ્વર્ગમાં પૃથ્વી વિષે ઘણું બધું સાંભળ્યું હતું. નવાઈની વાત એ હતી કે બાળકને વિદાય આપવા ખુદ પ્રભુ એની સાથે હતા. બાળકના નાનકડા દિલમાં ઘણા બધા સવાલો હતા.
અને ચિંતાતુર સ્વરે બાળકે પ્રભુને પૂછ્યું,''પ્રભુ થોડી ક જ વારમાં તમે મને પૃથ્વી પર મોકલવાના છો એ મને ખબર છે પણ આવડી મોટી ધરતી પર આટલું નાનકડું અને નિસહાય દશામાં હું કેવી રીતે જીવી શકીશ ?
ઈશ્વર જવાબ આપતા બોલ્યા,'' વત્સ,તું જરા ય ફિકર કર માં ,તારા માટે પૃથ્વી પર એક દેવદૂત ને તૈયાર રાખ્યો છે અને અત્યારે પણ એ આતુરતાપૂર્વક તારી રાહ જોઈ રહ્યો હશે અને પૃથ્વી પર એ જ તારું જતન કરશે ''
પણ પ્રભુ અહી સ્વર્ગમાં તો કેટકેટલી મજા છે, હું ખુબ ખુશ છું અહી, ગીતો ગાવું છું ખાવું છું રમું છું ખુબ સુખી છું તો પછી મને શું કામ ધરતી પર મોકલો છો ?'' બાળકે પૂછ્યું
વત્સ, ચિંતા ના કર ત્યાં તારો દેવદૂત તારા માટે ગીતો ગાશે અને તને સુખી કરવાના બધા જ પ્રયત્ન કરશે અને એનો અદભૂત પ્રેમ જોઇને તું ખુબ ખુશ થઇ જઈશ. પ્રભુએ જવાબ આપ્યો.
''પણ પ્રભુ મને તો એ લોકો ની ભાષા પણ કદાચ નહિ આવડતી હોય તો ? એ લોકોની વાત ને હું કેવી રીતે સમજી શકીશ ?'' શિશુના અવાજ માં ચિંતા સાથે કુતુહલ પણ ભળેલું હતું.
''અરે વત્સ, નાહકની ચિંતા કરે છે, તે કલ્પના પણ નહિ કરી હોય એવા મીઠા અને પ્રેમાળ શબ્દો એ દેવદૂત બોલશે અને ખુબ જ ધીરજ થી એ તને પણ બોલતા શીખવાડશે અને એવી રીતે તું એ લોકો ની ભાષા બોલી અને સમજી પણ શકીશ '' પ્રભુ એ હસતા હસતા જવાબ આપ્યો.
''પણ પ્રભુ ધારો કે મારે તમારી સાથે વાત કરવી હશે તો ?'' બાળકે પૂછ્યું
''તારો દેવદૂત જ તને મારી સાથે વાત કરતા શીખવશે બે હાથ જોડીને, વત્સ એને એ લોકો પ્રાર્થના કહે છે '' પ્રભુ બોલ્યા,
''પણ પ્રભુ મેં તો સાંભળ્યું છે કે પૃથ્વી પર ખરાબ લોકો પણ રહે છે, તો એમનાથી મારું રક્ષણ કોણ કરશે ?'' ચિંતાતુર બાળકે પૂછી લીધું.
''તારો દેવદૂત પોતાના જીવ ના જોખમે પણ તારું રક્ષણ કરશે '' પ્રભુ એ કહ્યું.
પ્રભુના શબ્દો સંભાળતા જ સ્વર્ગમાં અદભૂત શાંતિ છવાઈ ગઈ. અને હવે પૃથ્વી પરથી આવતા અવાજો સંભળાવા માંડ્યા હતા. બાળક ને સમજાઈ ગયું તું કે હવે એને પૃથ્વી પર જવાનો સમય આવી ગયો છે. એ ભગવાન ની નજીક ગયો, મનભરીને તેમની સામે જોઈ લીધું અને આંખમાં વિશ્વાસ આંજીને દંડવત પ્રણામ કર્યા અને કહ્યું પ્રભુ, છેલ્લો સવાલ,
'' મને મારા દેવદૂત નું નામ તો કહો ''
પ્રભુ એ એના મસ્તક પર હાથ મુક્યો અને હસતા હસતા બોલ્યા,'' તારે એના નામ સાથે કઈ જ લેવાદેવા નહિ રહે ! છતાં વત્સ તે પૂછ્યું જ છે એટલે કહું છું કે તારા એ દેવદૂત નું નામ છે ''માં'' ! તું એને 'માં' કહી ને બોલાવજે !''
અને હવે પૃથ્વી પરથી આવતા અવાજો એકદમ સ્પષ્ટ સંભાળતા હતા અને એ ગર્ભસ્થ શિશુ એ સંપૂર્ણ વિશ્વાસ અને સંતોષ સાથે ધરતી તરફ પ્રયાણ કર્યું !!

નીતા શાહ

વર્લ્ડ બુક ડે....! આર્ટીકલ લખવું એટલે...!


       વર્લ્ડ બુક ડે....!

           
પુસ્તકો વસાવવા એ જિંદગીનું
    સારા માં સારું Investment છે
   વાંચવું અને વંચાવવું એ જિંદગીનું
    સારામાં સારું Supplement  છે
   વાંચવું ને ઉતારવું એ જિંદગીનું
    સારામાં સારું Achievement છે
   મનોમંથન કરવું એ જિંદગીનું
    સારામાં સારું Involvement  છે
   પુસ્તક-મૈત્રી કરવી એ જિંદગીનું
    સારામાં સારું Development છે

   ગમે તે જ લખવું એ જિંદગીનું
    સારામાં સારું Commitment  છે

લખવું એટલે બહોળું વાંચન,પુષ્કળ ચિંતન અને સાથે મનન....મને આ વિષય પર લખવાનું મન થયું કારણ છેલ્લા ૧૦ દિવસથી હું ગુજરાત ના અલગ અલગ 
૪૪ લેખક,કવિ અને પત્રકાર ને વાંચી ને થોડું સમજવા પ્રયત્ન કરી રહી છું...આવા વિષય પર લખવું તે નાના મોઢે મોટી વાત કરવા જેવું છે.પણ ઓ'હેનરી ના શબ્દો એ જાણે લખવા માટે ધક્કો માર્યો, ''જે ગમે તે જ લખો. બીજા કોઈ નિયમ નથી,કોઈ બંધન નથી.'' આમ તો ખુબ જ કપરું કામ છે. મારા મતે કોઈક ને કંઈકરૂબરૂ માં કહેવું હોય તો જીભ ઘણી વાર થોથવાઈ જાય કારણ સામે વાળા શું વિચારશે ? આવા તો ઘણા એક સામટા પ્રશ્નો ઉઠતા હોય છે અંદરથી .એટલે જ મને લખવું ગમે છે.લખવું એ મૌન સાથે નો સંઘર્ષ છે.એક વાર જો કલ્પના ના અશ્વ પર સવાર થઇ ને મન ને મોકળું રાખીશું તો' કી બોર્ડ ' પર શબ્દો ના જાદુ થી આંગળીઓ તેની કમાલ દેખાડી જ દેશે.પછી તે ગદ્ય હોય કે પદ્ય,લઘુ વાર્તા હોય કે નવલ-કથા,કવિતા હોય કે ગઝલ,સોનેટ હોય કે હાઇકુ,હાસ્યલેખ કે કટાર હોય...આદિ..કોઈ પણ સર્જનાત્મક લખાણ માં  ઓછા માં ઓછા સરળ શબ્દો માં પણ વીજ ચમકારો અનુભવાય,શબ્દો નું સાતત્ય અને પવિત્રતા સચવાય તો ચોક્કસ ઓછામાં ઓછા ૨૦% લોકોના હૃદય માં તો સ્થાન બનાવી જ શકીએ.બાકી તો સમય મોટો વિવેચક છે જ.
                   આજથી થોડા વર્ષો પહેલા ''પત્ર-લેખન'' કળા વિકસિત હતી,જયારે ટેલીફોન નો ઉપયોગ અગત્ય ના કામ મતે જ થતો. તે સમય માં લખવાની ટેવ 
હાલ ના સમય કરતા વધારે જ હશે.એક પોસ્ટ-કાર્ડ કે આંતર્દેશી પત્ર જોઇને રોમાંચિત થઇ જતા.આજે એક જ વાત કહેવાની છે ''હવે આવનારી નવી પેઢી ને વાંચતા આવડતું હશે,પણ લખતા નહિ આવડે. શક્ય છે લેખન-કળા કદાચ વિલીન થઇ જાય.''  
                 '' મરોડદાર અને કલાત્મક અક્ષરો હતી આપણી ઓળખાણ,
                   નથી લાગતું 'કી બોર્ડ' આ ઓળખ ગુમાવી દેશે...?''

આપણાં મુખ્ય-મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે 'ગુજરાત ના નાથ' અને રાજકારણ ના 'મહારથી' છે.તેઓ કવિ છે,વાર્તાકાર છે,ચરિત્રકાર પણ છે. લેખન પળનું પ્રાગટ્ય તેમના જ શબ્દો માં...
                  કલ્પનાના અશ્વ પર શબ્દ નો અસબાબ સર્જક માટે સવારીની ખુમારી લઈને આવે છે. મન મેદાન ની મોકળાશ ફૃતિ ને કાગળ પર થનગનતું રૂપ  આપી જાય ત્યારે રચના આકાર લેતી હોય છે.ક્રીએશન માટે તો શૂન્યાવકાશ જોઈએ.આખુને આખું આકાશ રૂપ-રંગ વગરનું આકાશ આપણી ભીતર સમાઈ ગયું હોય-ઉઘાડી આંખ..પણ બહાર નહિ, અંદર હોય...શબ્દ ની શોધ નહિ,અક્ષરો નો મેળાવડો નહિ-હૃદય રડતું હોય-તીવ્રતા સ્પર્શતી હોય-જેમ સાગરના મોજાની ખારાશ જીભને કે આંખને અડકે તો ચીસ પડાવી દે: પણ નજર હૈયાને સ્પર્શે તો..? ભાવસાગર અંદર જ સમાઈ જાય...શબ્દોની નાવ હલેસા વગર હિલોળા લેવા માંડે.....!!!         [શ્રી નરેન્દ્ર.મોદી.]

                 ક્યારેક ચિત્તની પ્રસન્નતા કંઈક લખાવે છે,તો ક્યારેક પીડાના પડછાયે કશુક લખી રહે છે.સંવેદન ગમે તે સમયે અને ગમે તે સ્થળે શબ્દરૂપ પામે છે.કોઈ સુવિધાપૂર્ણ  નર્સિગહોમ માં જ કવિતા નો પ્રસવ થાય તે જરૂરી નથી.સમય પાકતા કવિતા કોઈ પણ સ્થળે અવતરે છે.કવિએ તેને વ્હાલપૂર્વક વધાવવાની તૈયારી રાખવી પડે.....!!!       [શ્રી નીતિન.વડગામા ]
                લેખક બનવા માટે પહેલા માણસ બનવું જોઈએ,ઈશ્વરદત્ત આશીર્વાદ મેળવવા જોઈએ.સંવેદનાને જાગૃત રાખવી જોઈએ.ખુબ વાંચવું,વિચારવું,વાગોળવું જોઈએ....!!!      [શ્રી પ્રવીણ.સોલંકી.]
                  
            
                ''આ મારી પાસે શસ્ત્રો છે જે શબ્દ નામ નું 
                  છે  શબ્દ ચક્ર  કૃષ્ણનું બાણ રામ નું ...''
                  [ અમૃત ધાયલ.]

                '' શબ્દ જયારે પણ સમજણો થાય છે
                  અર્થ ત્યારે કંકુવરણો થાય છે....''
                  ['ધૂની' માંડલિયા.]

                 બસ હૃદય માં આગ ધધકતી હોય ત્યારે જ કલમ પકડી લેવી.લખવાનું મુલતવી રાખવું  ઈસ્ત્રી ઠંડી પડી ગયા પછી કપડા પ્રેસ કરવા જેવું છે. સર્જકતાને કદાચ અવગણી શકાય પણ બહાર આવતી રોકી ન શકાય.સ્વપ્ન જુદું હશે,ભાષા જુદી હશે,વિચારો જુદા હશે,સાધનો જુદા હશે પણ સર્જકતા તો એવી ને એવી જ રહેશે...અકળ...અદીઠ.

નીતા શાહ

Tuesday, April 28, 2015



 સમસ્યા 



બધા રસ્તા સીધા હોય છે દુનિયાના
સમસ્યા એને જેની વાંકી છે ચાલ

હળવાશથી બોલો ને જીવો દુનિયામાં
સમસ્યા એને જેની કડવી જીબાન

નીતા શાહ

મારા સુવાક્યો ....28/5/14



મારા સુવાક્યો ....28/5/14


 

* સંતાનોથી હારીશ તો એમાં પણ મારી જીત હશે

   કારણ કે એમને ઉડવા આકાશઆપ્યું અને


     પંખો કાપી નહિ એનો મને આનંદ છે ....!

  નીતા શાહ






યશ માટે મેદાને ના પડાય, યશને લાયક બનવું

એટલે યશ લેવામાં પાછળ રહેવું અને

બીજાને યશ આપવાની ઉદારતા દાખવવી,

યશ-ઘેલા કદાચ ફાવી જાય પણ

એમને ગબડતા વાર નથી લાગતી .....!

નીતા શાહ






* સીરીઅસ ન બનો પણ સિન્સીયર બનો ....!

નીતા શાહ






* લખનારની આંખ ભીની ના થાય તો વાંચનારની આંખ ભીની ક્યાંથી થાય ? ...

નીતા શાહ






* લાઈફ એક પ્રીપેઈડ કાર્ડ છે વેલીડીટીની એક લીમીટ હોય છે,એમાં 4 તોફાનો


આવતા હોય છે


1 નિરાશા


2 વ્યગ્રતા


3 અન્યાય


4 એકલતા






* કિતાબો બે જ પ્રકારની હોય છે ,

વાંચીને ભૂલી જવા જેવી

અને

વાંચીને યાદ રાખવા જેવી ....!


જ્હોન રસ્કિન






* આત્મ-વિશ્વાસ ના ઇન્જેક્શન નથી આવતા ...!

નીતા શાહ






* મુઠ્ઠીમાં આકાશ કેવી રીતે કેદ થાય છે ?


એક કદમ માં આખી પૃથ્વી કેમ સમાઈ જાય ? ...!


અજ્ઞાત



* વિજય માંગીને લેવાની ભેટ-સોગાત નથી


લડીને મેળવવાની સિદ્ધિ છે ...!

અજ્ઞાત




''તકદીરે જહા રહેતી હૈ બંધ મ્યાનોમે ,


તકદીરે વહા સડતી હૈ કૈદ્ખાનોમે ,''

અજ્ઞાત




જે લડતો નથી એનું ભાગ્ય પહેલેથી જ નિષ્ફળતાની કેદમાં


સડતું હોય છે ....!






* જે કોઈનાથી ડરતો નથી, એનાથી બધા જ ડરે છે ....!

નીતા શાહ






* સ્ત્રી ક્રાયસીસ ને હેન્ડલ કરી જાણે છે


પુરુષ ક્રાયસીસ ને હેન્ડશેક આપી દે છે ...!

નીતા શાહ






* જીવનમાં સફળતાનું મહત્વ છે પરંતુ

સાર્થકતા સફળતા કરતા થોડી ઉંચેરી બાબત છે

મેડોના સફળ થાય છે


જયારે મધર ટેરેસા સાર્થક થાય છે ...!



[ગુણવંત શાહ]






* હમદર્દી ક્યાં છે ? અહી તો અહમ-દર્દી છે ....!

નીતા શાહ






* આળસ એ કુદરતે આપેલા હાથ પગ નું અપમાન છે ...!

નીતા શાહ






આંસુ અને સ્મિત

આંસુ


ક્યારેક આંખમાં એક ટીપું આવી જાય ત્યારે

જીભના ટેરવે રહેલા તમામ શબ્દો સંકોચાઇને મૌન બની જાય છે

એ ટીપું કઈ કહેવા જ નથી દેતું,

વાસ્તવમાં ટીપું આંખમાં આવે છે ખરું પણ


ગળા પર કબજો જમાવી દીધો હોય છે ...!


સ્મિત ..

.જ્યારે શબ્દો વ્યક્ત કરવા માટે જીભ તૈયાર ન હોય

ત્યારે હોઠ પર સ્મિત તરી આવે છે


જાણે કે શબ્દ-ભંડોળ ખૂટી ગયું હોય પણ વાર્તા હજુ બાકી હોય ...


પાના ફેરવતા જ રહીએ પણ આગળની વાતનો ઉલ્લેખ ક્યાં છે ? ...!

નીતા શાહ






* કામ કરવા -કરાવવાનો શ્રેષ્ઠ ઉપાય શું ?


કામ પોતે કરો ત્યારે દિમાગને કામે લગાડો ...

.બીજા પાસે કરવો તો હૃદય ને કામે લગાડો ....!

નીતા શાહ






* સંવેદનાઓને વધુ અણીયાળી ન બનાવ

જખ્મોના મૂળ ઊંડા હોય છે ...!


નીતા શાહ


* ઉદાસી નરી આંખોમાં ઝળકે છે
ખુશીઓ ને સંતાડી ક્યાં ?
સદા ખુશહાલી ચહેરે ઝળકે છે
સ્મિત ને સંતાડ્યું ક્યાં ?


નીતા શાહ



હિટલરનો અહમ ઘવાયો અને તેના કારણે  પાંચ કરોડથી વધુ માણસો નો 
નરસંહાર સર્જાયો તેમ મનાય છે દુનિયાની કોઈ કુદરતી આપત્તીએ આટલો 
નરસંહાર સર્જ્યો નથી જેટલો માનસ ના સ્વભાવે સર્જ્યો છે। ..!

[ક્યાંક વાંચેલું ]

કોણ કહે છે બરબાદી કોઈના ય કામ માં નથી આવતી 
લોકો તો તુટતા તારા પાસે પણ 'wish' માંગે છે ...!!!

નીતા શાહ

જોયું આંસુઓને સંતાડીને આવ્યા ને ?
મારી સ્માઈલ પણ સાચી ક્યાં હતી  ...!

નીતા શાહ 

શબ્દ ખોખલા હોય છે શબ્દ મનભરી દે છે 
શબ્દ જુઠ્ઠા હોય છે , શબ્દ વચન બની જાય છે 
શબ્દ ઘાયલ કરે છે, શબ્દ પ્રાણ ફૂંકી દે છે 

શબ્દ યાદ નથી રહેતા, શબ્દ ગ્રંથ બની જાય છે 
શબ્દ કાંય નથી કરી શકતા, શબ્દ મૃત્યુદંડથી મુક્ત કરી શકે છે 
કર્મ સર્વોચ્ચ છે પરંતુ શબ્દ એ શબ્દ જ છે.

નીતા શાહ 

જે લોકો અંધારાથી અજાણ નથી તેઓ અસલી પ્રકૃતિ અને પ્રકાશની 
પ્રશંસા કરી શકે છે, જેમ કે કોઈ ફૂલ સુરજના ઉગવાની ઉજવણી 
કરતા ખીલી ઉઠે છે.

નીતા શાહ 

આજના બાળકોની આંખમાં વિસ્મય રહ્યું નથી 

નીતા શાહ 

અગર વો પૂછ લે હમસે તુમ્હે કિસ બાતકા ગમ હૈ ?
તો ફિર કિસ બાતકા ગમ હૈ અગર વો પૂછલે હમસે ??

unknown

મેં કૈસે ઉસકો રુલા સકતી હું ?
જિસે મૈને અપને રબસે ખુદ રો રો કર માંગા હૈ 
unknown












જોયું અશ્રુઓ કામ લાગ્યા સિંચાઈમાં



જોયું અશ્રુઓ કામ લાગ્યા સિંચાઈમાં

                                                                        


જોયું અશ્રુઓ કામ લાગ્યા સિંચાઈમાં

ઉગી નીકળ્યા સપના આંખોની ભીનાશમાં

 

જોયું મીઠાશ ભરપુર હતી સરિતામાં 

ઉગી નીકળ્યા સપના સાગરની ખારાશમાં 

 

જોયું લઇ ગયો અનીલ સુગંધ સુમનમાં 

ઉગી નીકળ્યા સપના કાંટાની તીખાશમાં 

 

જોયું છવાયો તિમિર ધરાની નસેનસમાં

ઉગી નીકળ્યા સપના પડછાયાની અમાસમાં 

 

જોયું  સોહામણું સ્વરૂપ હતું વિશ્વાસમાં 

ઉગી નીકળ્યા સપના આગ બની નિશ્વાસમાં


નીતા શાહ


શબ્દોના શૃંગારથી મન ભરાય ત્યારે આવજે

      શબ્દોના શૃંગારથી મન ભરાય ત્યારે આવજે



  શબ્દોના શૃંગારથી મન ભરાય ત્યારે આવજે 
   જ્યાં ભીતરનું મૌન ન સહેવાય ત્યારે આવજે
  
  ચારે દિશામાં ઉદાસી ચીતરાય ત્યારે આવજે
   અણધારી પળે  'છે' 'હતું' થાય ત્યારે આવજે
   
  ઝાંઝવું નહિ વાસ્તવિકતા પરખાય ત્યારે આવજે 
   હું નહિ ખાલીપો મારો સમજાય ત્યારે આવજે 

  સબંધોના સરવૈયામાં શેષ દેખાય ત્યારે આવજે 
    પ્રીતના પાલવડે પ્રીત પરખાય ત્યારે આવજે 
  
  આખરી શ્વાસમાં નામ પોકારાય ત્યારે આવજે 
   વલોવાય હૃદય ને  અશ્રુ રેલાય ત્યારે આવજે  
 
  નીતા શાહ
  

Saturday, December 13, 2014

પુસ્તક



પુસ્તકો વસાવવા એ જિંદગીનું સારા માં સારું ઇન્વેસ્ટમેન્ટ છે,
વાંચવું અને વંચાવવું એ જીવનનું સારામાં સારું સપ્લીમેન્ટ છે.

નીતા શાહ

Tuesday, December 9, 2014

અકળ મૌન...!




હા, હું અને તું
ટેબલની સામસામે
વચ્ચે પ્રકાશિત કેન્ડલ
અકળ મૌન
વન કહેવાયેલા શબ્દોની વણઝાર
એની કીકી માં વાંચવા મથતી તી
પણ ...
નજર ઉંચી કર્યા વિના
લીપી ને ઉકેલું શી રીતે ?
અને...

ત્યારે સમજાયું કે
લખવું અને વાંચવું તો સાવ સરળ છે ...!
નીતા શાહ

એષણા....!



ખબર છે તને ?
એષણાઓને હૃદયના સાતમાં પડમાં
મુકેલ લોકર માં પૂરીને
ચાવી એની સમુદ્ર માં પધરાવી દીધી
રહી રહી ને ડોકાચિયા કરતી તી
તને અણગમતી એષણાનું
પ્રદર્શન થઇ જાતું તું
હું ચુર ચુર થઇ જાતી તી
જીવંત એષણાઓની અંત્યેષ્ટિ કરીને
હાશકારો થયો છે
કારણ
ભેખ જો મેં લીધો છે
તારા હસતા રમતા જીવન ને માણવાનો
જોયું ?
રેડીઓ પણ હુંકારો ભણે છે
સુર રેલાવે છે
જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે
તુમ દિનકો અગર રાત કહો રાત કહેંગે ....!

નીતા શાહ

Monday, November 10, 2014

એક નાનકડું બીજ વાવ્યું તું વિશ્વાસ સાથે સ્નેહનું ....!






     જોને મેં તો એક નાનકડું બીજ વાવ્યું તું વિશ્વાસ સાથે સ્નેહનું
     ક્યારેક તો તું  વરસીશ એવી આશા  સાથે
     અને આજે નવપલ્લવિત થઈને એ અંકુર હિલ્લોળા લઇ રહ્યું છે
     વ્હાલથી મને પણ ભીંજવી રહ્યું છે
     મારે ક્યાં એના ફળ ચાખવતા
     વ્હાલથી સીંચવું છે
      અને ક્યારેય મુરઝાઈ નહિ એવા જતન કરવા છે

   
      નીતા શાહ


















     







Tuesday, November 4, 2014

ખોટી જગ્યાએ દુખ હળવું ન કરાય ..!






ખોટી જગ્યાએ  દુખ હળવું ન કરાય 
એમ હાથે કરી દુખ બમણું ન કરાય 

વ્યક્ત થઇ શકે એને વ્યક્તિ કહેવાય 
વ્યક્ત ન થઇ શકે એને શું કહેવાય ?

કોમનમેન હમેશા કોમન વાતો કરે 
પોતાને જ કહે છે કેમ માની લેવાય ?

ભૂમિ એક જળબિંદુ માટે વલખા મારે 
સમજણ નું વાદળ જ પહેરો ભરે તો ?

લાગણી તો હૂંફની હળવાશ કહેવાય 
લાગણી ને જ લોકો હડસેલી દે તો ?

તારું અને મારું તો સહિયારું કહેવાય 
મારું મારું આગવું કરે એને શું કહેવાય ?

નીતા શાહ 





Wednesday, October 29, 2014

શું કહું તને સંબોધું કયા નામે ?




   


      શું કહું તને  સંબોધું કયા નામે ?
      જ્યાં નામ વગરના સંબંધ હોય
      ના કોઈ સ્પષ્ટતા કે ખુલાસા
      બસ આંખ બંધ કરું નીરખું તને    
      સવારની સલામ તારા નામથી
      શુભ રાત્રી પણ તારા નામ થી


     માને તો માતાની મમતા હું
     માને તો પ્રેમીનો પ્રેમ હું
     માને તો મિત્ર ની મિત્રતા હું
     માને તો દિલની નજીક હું
     માને તો સાત સમુદ્ર પાર હું
     માને તો કવિતા ના શબ્દ હું


      ન ભૂતો ન ભવિષ્યતિ
      કાલની ફિકર ન કરીશ્યતી
      આજને સંભાળીને જોઈએ શુકુન
      જીવવાનું એક મારું ઝનુન
      માંગું તારું બાળરૂપ હાસ્ય
      જોઇને ખીલે મારી આંખોનું રૂપ


      વગર બંધને બંધાવું હું
      વગર માંગે પામું હું
      વગર જળની છાલક હું
      વગર બાળની પાલક હું
      વગર ઇશ્ક ની ચાહત હું

   
       નીતા શાહ
 



Saturday, August 30, 2014

ખુશામત ફૂલોની .....!!!

ખુશામત  ફૂલોની  .....!!!

મંદિરમાં ચઢાવો  કે મસ્જિદમાં 
જન્મ સમયે યા તો મૈયતમાં 
પરોવી દો સોયમાં કેશની વેણીમાં 
પહેરાવી દો હાર ગળા માં તેણીનાં 
કાંટાઓ વચ્ચે છે સ્થાન મારું 
પ્રેમપ્રતિક સમું ગુલાબ નામ મારું 
દેવ-દેવીના ચરણોમાં સ્થાન મારું
નફરતને પ્રેમમાં ફેરવવાનું કામ મારું 
દરેકના જીવનમાં અર્પિત થતો જાઉં 
હાર કે જીત માં સમર્પિત થતો જાઉં 
ખુદાને પણ ગમે છે ખુશામત ફૂલોની 
એટલે તો ખુદ ચાદર ઓઢે છે ફૂલોની   

નીતા શાહ 


Friday, August 22, 2014

સખીએ પૂછ્યું આ વળી કવિતા એટલે શું ?


 સખીએ પૂછ્યું આ વળી કવિતા એટલે શું ?


સખીએ પૂછ્યું આ વળી કવિતા એટલે શું ?
કવિતા એટલે કવિનો હોંકારો
સંવેદના અને વેદના ને મળતો હવાનો સથવારો
દિલમાં અદ્રશ્ય પડતા અવાજનો પડઘો
વેદના ના પહાડ પર પ્રેમરસ છાંટતો ઝરો
અંદરથી ભીનું રાખતો હુંફાળો ખોળો
શબ્દબળ થી મળતો સુંવાળો હાશકારો
તારા માટે જ લખું છું એવો કવિનો ખોંખારો
સમજો તો કવિતા નહિ તો વેવલાવેડા

નીતા શાહ

Monday, March 31, 2014

સનાતન એ છે ....!




કેવી રીતે લખું  ....ઘોર અંધારા ને તેજના ભારા 
સનાતન એ છે  ....દરેક માનવીના ભાગ્ય ન્યારા 

કેવી રીતે લખું  ....સૂર્ય પર જ્વાળા આભમાં તારા 
સનાતન એ છે  ....ડૂબતા સુરજ નામે રંગના ક્યારા 

કેવી  રીતે લખું  ....ભીની છે રેત અને  સાગર ખારા
સનાતન એ છે  ....રાખની નદીઓ તટે સપના ઓવારા 

કેવી રીતે લખું  ....ઘાસ પર ફૂલો ને ડાળ પર પંખી પ્યારા
સનાતન એ છે  ....મોસમનો પત્ર ક્યા સરનામે વ્હાલા

કેવી રીતે લખું  ....પૂનમે શા ઉમળકે સાગરે ભરતી 
સનાતન એ છે  ....જળ ઉપર યુવાન લહેરો વલવલતી 

નીતા શાહ [31/3/2014] 



Monday, February 24, 2014


વાતો કરે ચાંદને ધરતી પર ઉતારવાની 
ધોળે દિવસે તારા દેખાડશે  ...સત્તા મળ્યા પછી 

વાતો કરે મોંઘવારીને મૂળમાંથી ઉખાડવાની 
ક્યારેય ઘટી છે તો ઘટશે   ...સત્તા મળ્યા પછી 

વાતો કરે ગરીબાઈ ને મૂળમાંથી હટાવવાની 
 ગરીબોને જ હટાવી ન દે ...સત્તા મળ્યા પછી

વાતો કરે મફત પાણી વીજળી ભ્રષ્ટાચારની 
બાપની સરકાર છે જો આપી દેશે સત્તા મળ્યા પછી 

વાતો કરે સિમ્પલ લીવીંગ ને હાઈ થીંકીંગ ની 
લાગે છે ક્યાય કનેક્ટ થશે  ....સત્તા મળ્યા પછી 

નીતા શાહ 

સ્મરણોથી ભારેખમ હતો ઓરડો આખો ...!






સ્મરણોથી  ભારેખમ હતો ઓરડો આખો 
સુનું લાગે ઘર હવે આપના આવ્યા પછી 

જુઓ ફૂલો ની ખુશ્બુનો પડે પડછાયો 
મોરલો તો ચીતરાય ટહુકો ચીતર્યા પછી 

એકલો અટૂલો ઉભો છે એ ભરબપોરે 
જીવનભર અઢળક વૃક્ષો વાવ્યા પછી 

ભર્યાભાદર્યા હૈયે થઇ ગઈ સાવ ખાલી 
આદરી જ્યા ચેષ્ટા મુઠ્ઠીઓ ખોલ્યા પછી 

તરસી ધરાને મળ્યો નથી એક છાંટો 
જોને વરસાદ આખી રાત પડ્યા પછી 

રહી પથ્થરો વચ્ચે બી સુંવાળપ સાચવી 
દિલપથ્થર કાં થયું ફૂલોના સથવારા પછી

નીતા શાહ