મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, April 13, 2012

'' નિરાશાવાદી''

     '' નિરાશાવાદી''


નિરાશાવાદી તો તેને કહેવાય....
જે પોતાની જીંદગી આખી ડાર્ક-રૂમ માં વિતાવે
નેગેટીવ ને ડેવલપ કર્યા કરે...

નિરાશાવાદી તો તેને કહેવાય...
સૂર્ય આકારો તપતો હોય ત્યારે તે 
માવઠા ની આગાહી કરે...
બધું સમુસુતરું ચાલતું હોય તોય કહે
કઈ લાંબુ ચાલશે નહિ...
કોઈ માયા,મૈત્રી કે પ્રેમ બતાવે ત્યારેય તે
શંકા-કુશંકા માં અટવાયા કરે...

સુંદરતા દેખાતી નથી
 પીડા ને ઘર બનાવે
ટૂંકી દ્રષ્ટિ ધરાવે
બધું જ ખાલીખમ
કાળું મેશ 
નકરી ઉદાસી...હતાશા...અંધકાર...!!!

પણ મિત્રો
દરેક સિક્કાની બે બાજુ હોય છે..
જરા દ્રષ્ટિ ને ફેરવો...
પ્રકૃતિ,સૂર્ય,ચંદ્ર,નદી,ઝરણું,સાગર,ફૂલ,પતંગિયું....વગેરે 
કેટલું જીવંત લાગશે
કેટકેટલું શીખવશે આપણને 
ધબકતું વિશ્વ,અસીમ પ્રેમ...!!!
કેટલું અદભૂત...!!!

કોર્નર:- હતાશાવાદી કરતા આશાવાદી વધુ જીવે છે,હતાશાવાદી જીવતા નથી હોતા એને દાટો કે બાળો
એ પહેલા જ મારી ચુક્યા હોય છે...!

નીતા.શાહ.

No comments: