હે સર્જનહાર,
મારા વિચારો ને એટલા ઉદાર કરો કે
બીજા માણસનું દ્રષ્ટિ-બિંદુ સમજી શકું,
મારી લાગણીઓને એટલી મુક્ત કરો કે
બીજા પ્રત્યે તેને વહાવી શકીએ
મારા મન ને એટલું સંવેદનશીલ કરો કે
બીજા ઓ ક્યાં ઘવાયા છે તે જોઈ શકું
મારા હૃદય ને એટલું ખુલ્લું કરો કે બીજા નો
પ્રેમ ઝીલી શકું
મારા ચિત્તને એટલું ઉજ્જવળ કરો કે
પોતાના અને પારકાના ભેદથી ઉપર ઉઠી શકું...
હે મુરલીધર,
મારી દ્રષ્ટિને એવી જ્યોતિર્મય બનાવો કે
જગત માં રહેલા તમામ સૌન્દર્ય અને સત્ય ને
નીરખી શકું....
મારી ચેતના ને એવી સુક્ષ્મ કરો જેથી તારા
સંકેતોને પારખીને
જીવન નું માર્ગદર્શન પામી શકું.....!!!
[ કબીર ખાડા બજાર મેં, લિયે લુકાઠી હાથ।
જો ઘર ફૂંકે આપના,ચાલે હમારે સાથ ।।]
કબીર.
શ્રી કૃષ્ણ શરણં મમ...!!!
નીતા.શાહ


No comments:
Post a Comment