મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Friday, June 5, 2015

ગઝલ- રાત કાળી હોય તેથી શું થયું ?



     રાત કાળી હોય તેથી શું થયું ?   

       ગઝલ
       ગાલગાગા ગાલગાગા ગાલગા

      રાત કાળી હોય તેથી શું થયું ?
      રાતની પાછળ સવારો હોય છે

      અવદશાઓ કાયમ રહેતી નથી
      પાનખર પાછળ બહારો હોય છે

      બદનસીબી કાયમી રહેતી નથી
      ભાગ્યની પાછળ સિતારો હોય છે

      જીવન-નૈયા હાંક્યા કરું સતત
      ક્યાંક દરિયાને ય આરો હોય છે

      નફરતોની આંધીયોની ઓટમાં
      પ્રેમનો મોઘમ ઈશારો હોય છે

      જીંદગી સહેજે ય ગભરાતી નહિ
      હિંમતે ભેરુઓ  હજારો હોય છે

      નીતા શાહ

No comments: