સંવેદના...
ભગવાને કોઈને દુઃખથી વંચિત ક્યાં રાખે છે..?
જુવો સૂર્ય અને ચંદ્ર ને
ગ્રહણ તો તેને પણ લાગે જ છે ને ?
માનસિક સુખ તે સુખી વેદના
માનસિક દુઃખ તે દુઃખી વેદના
જ્યાં સુખ કે દુઃખ કઈ પણ ન હોય ત્યાં..?
ત્યાં ઉપેક્ષાની વેદના...
મારા માટે વેદના એ
સક્રિય પ્રક્રિયા છે...જીવંત વેદના
વેદના વગર સંવેદના ક્યાં શક્ય જ છે ?
યાદ છે ઓસ્કાર વાઇલ્ડ ના શબ્દો..
'' આપણા માટે એક જ મૌસમ છે જીવન માં,
અને તે છે સંવેદનાની મૌસમ...!''
બે પ્રેમીની વિરહ ની વેદના
કેટકેટલી સંવેદના જન્મ લે છે...
દીકરી ને હંમેશાં માતા-પિતાની વેદના
સંવેદના જગાવી ને આંખ પલાળી દે છે
એક માતા ને બાળકોની વેદના
સંવેદના થી ઉછળતું માતૃત્વ...
જેટલા સગપણ ના આયના..
તેટલા સંવેદના ના તાપણા...
-નીતા.શાહ.

No comments:
Post a Comment