*
કેટલાક માણસો પાસે તેજસ્વી મસ્તિષ્ક હોય છે પરંતુ સંવેદનશીલ હૃદય નથી હોતું. સંવેદનશુન્ય માણસ સાચે ગરીબ હોય છે.
કેટલાક માણસો પાસે તેજસ્વી મસ્તિષ્ક હોય છે પરંતુ સંવેદનશીલ હૃદય નથી હોતું. સંવેદનશુન્ય માણસ સાચે ગરીબ હોય છે.
તમાકુ ના વિશાલ ખેતર કરતા નાનકડો તુલસીક્યારો અધિક મુલ્યવાન હોય છે.રાવણ પાસે સોનાની લંકા હતી તોય તે ગરીબ
હતો.શબરી પાસે કેવળ બોર હતા ચાત તે સમૃદ્ધ હતી.સહ્રદયતા વિનાની સમૃદ્ધી રાવણત્વ ની જનેતા છે. ભીના હૃદયના માલિક
હોવું એ જ સમૃદ્ધી નું ગૌરીશંકર છે....તાતા,બિરલા કે અંબાણી પણ એવા માલિક આગળ ગરીબગુરબા છે.
મારું હૃદય મંદિર છે,મારું હૃદય મસ્જીદ છે,મારું હૃદય ચર્ચ છે.ભગવાન એટલે જ પ્રેમ...મારું હૃદય પ્રેમ નું આસન છે.
ક્યારેક ઘરના બારણે એક બોર્ડ પર સંદશો લખવાનું મન થાય છે.
''ખાલી હાથે આવજો પણ ખાલી હૃદયે ન આવશો.તમારો અને મારો સમય મુલ્યવાન છે.''
--નીતા.શાહ.

No comments:
Post a Comment